ઉનાળાની ઋતુમાં બજારમાં તૈયાર કેરીનો રસ મળવા લાગે છે. જાણકારોના મતે બજારમાં આફૂસ કેવી જ્યારે 150થી 250 રૃપિયે કિલો મળતી હોય ત્યારે કેરીનો રસ 4૦થી 60 રૃપિયે કિલોના ભાવે મળતો હોય છે. આ રસમાં અનેક પ્રકારની ભેળસેળ કરવામાં આવતી હોય છે. તેને આકર્ષક બનાવવા માટે કૃત્રિમ રંગો ઉમેરવામાં આવે છે, જે ઝેરી હોવાની સંભાવના રહે છે. તેમાં સ્વાદ માટે સેકેરીન અને સોડમ માટે કૃત્રિમ ગંધ પણ ઉમેરવામાં આવે છે. બજારમાં કેરી મોંઘી મળતી હોય તો હલકી કેરી ખરીદીને તેનો રસ કાઢવામાં આવે છે; અથવા તેમાં પપૈયાનો કે કોળાનો રસ ઉમેરવામાં આવે છે. ઘણા લોકો મહેમાનોને જમવા બોલાવે છે અને તેમને આવો વાસી રસ પિવડાવે છે. લોકોના મતે લગ્ન દરમિયાન યોજાતા સમારંભોમાં પણ બજારમાંથી તૈયાર રસ લાવીને પિરસવામાં આવે છે. જેમને પોતાના આરોગ્યની ચિંતા હોય તેમણે પોતે આવો વાસી રસ વાપરવો જોઇએ નહીં અને મહેમાનોને પણ પિવડાવવો જોઇએ નહીં. હાલના દિવસોમાં કેરીના ભાવ ઉંચા છે. તેમા સામાન્ય માણસને કેરી ખાવી પરવડે તેમ નથી .પરંતુ છોકરાઓ કેરીનો રસ ખાવાની જીદ કરે તો નાછૂટક તૈયાર કેરીનો રસ આપવો પડે છે. તો અમુક લોકોના મતે કેરી બજારમાં મોટા પ્રમાણમાં આવશે ત્યારે ભાવ ઘટશે ત્યારે ખાવી યોગ્ય છે. આ તૈયાર કેરીનો રસ ઘણો ખતરનાક હોય છે. અને તેનાથી દૂર રહેવામાં જ ભલાઈ છે.
રાકેશ પંચાલ
રાકેશ પંચાલ
