દેશમાં અનેક દિવસોને ખાસ દિન તરીકે ઉજવવામાં આવે છે. જેમાં પાણી માટે 22મી દિવસે વિશ્વ જળ દિન તરીકે ઉજવવામાં આવે છે. જળએ જીવન સમાન છે. અને લોકો આ બાબતે જાગૃત થાય તે માટે નડિયાદ તાલુકાના નાનકડાં ગામ વસો ખાતે મફ્ત પાણીની સેવા આપી રહેલા હાર્ડવરેના દુકાનદારે આ દિનની ઉજવણીના ભાગરૂપે વિશ્વ જળ દિવસનું બોર્ડ લગાવીને ઉજવણી કરી હતી.જેના મારફતે લોકોને જરૂરિયાત મુજબનું પાણીનો વપરાશ કરો તે પ્રકારનો સંદેશો આપવાની કોશિશ કરવામાં આવી હતી.
દરેક ઉનાળામાં વર્ષોથી સેવા આપી રહેલા દુકાનદારના મતે હાલના દિવસોમાં પાણી ચિંતાનો વિષય બની ગયો છે. પાણીની અછત ચરોતરમાં ઓછા પ્રમાણમાં છે. પરંતુ ગુજરાતના કેટલાંય વિસ્તારોમાં પાણી ચિંતાનો વિષય બની જવા પામ્યો છે. કેટલીય જગ્યાએ પ્રજા અને તંત્રે પાણી બાબતે આમને-સામને આવી જવાની ઘટનાઓ બનતી હોય છે. તેવામાં જો આપણા દ્રારા થોડો પાણી બચાવાનો પ્રયાસ કરવામાં આવે તો ચોક્કસ રાહત મળી શકે તેમ છે.
રાકેશ પંચાલ
.jpg)