| દાયકાઓ જૂની પલાણાની પરંપરા |
આ ધગધગતા અંગારા ઉપર માત્ર યુવકો કે પુરૂષો જ નહીં પરંતુ યુવતિઓ અને બાળકો પણ ખુલ્લા પગે દોડે છે. આજ દિન સુધી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. મુસ્લિમ ભાઈઓ પણ હોળીના અંગારા ઉપર ચાલીને મન્નત પુરી કરવા માટે આવે છે. આ દિવસે ગામને શણગારવામાં આવે છે. જોકે લોકોના મતે ચમત્કાર કહો કે વિજ્ઞાન પણ અહીં કોઈપણ વ્યક્તિ ગભરાયા વગર આવીને અંગારા પર પગ મૂકીને ચાલવા લાગે છે. પરંતુ કોઈપણ પ્રકારનો નશો કે લોખંડની વસ્તુ લઈને કોઈ ચાલવાનો પ્રયત્ન કરે તો ચોક્કસ પણ દાઝી જાય છે. આ એક શ્રદ્ધાનો વિષય છે.
આ ધગધગતા અંગારા ઉપર ચાલતા લોકોને જોવા માટે દૂર-દરથી હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય છે. ગામમાં ચગડોળ જેવી વિવિધ રાઈડ્સ પણ આવી જાય છે . આ દિવસે ગામમાં મેળા જેવો માહોલ થઈ જાય છે. સાંજે શરૂ થયેલો આ મેળો રાતના બાર વાગ્યા સુધી ચાલે છે.
આ ધગધગતા અંગારા ઉપર ચાલતા લોકોને જોવા માટે દૂર-દરથી હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય છે. ગામમાં ચગડોળ જેવી વિવિધ રાઈડ્સ પણ આવી જાય છે . આ દિવસે ગામમાં મેળા જેવો માહોલ થઈ જાય છે. સાંજે શરૂ થયેલો આ મેળો રાતના બાર વાગ્યા સુધી ચાલે છે.
રાકેશ પંચાલ
