આજે પહેલી ઓગષ્ટ,ગુરૂવારના રોજ ખેડા જિલ્લા ભારતીય જનતા
પાર્ટી નડિયાદ દ્રારા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત હોદેદારો માટે માર્ગદર્શન સેમિનારનું
મંગલદીપ પ્રગટાવી ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. નડિયાદમાં આવેલ ઈપ્કોવાલા હોલ ખાતે
યોજાયેલ આ સેમિનારમાં પ્રભારી મંત્રી રમણભાઈ વોરા, વિધાનસભાના મુખ્યદંડક તેમજ
નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ , મંત્રી ભરતભાઈ પંડ્યા, માજી શિક્ષણ મંત્રી
જયસિહંજી ચૌહાણ, પ્રદેશ મંત્રી નયનાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ભટ્ટ,
કોષાધ્યક્ષ સુરેન્દ્રભાઈ પટેલ, કનુભાઈ ડાભી, પપ્પુભાઈ પાઠક તેમજ અન્ય મહાનુભાવો
સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

.jpg)